મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત


SHARE











હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો કાર લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રિના સમયે પરત આવી રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી જેથી કરીને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોમાંથી ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ યુવાનો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એસી ૩૦૧૫ લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં ધાંગધ્રા તાલુકાના નરાડી ગામેથી પરત ગોલાસણ ગામ તરફ આવી રહ્યા હતા દરમ્યાન ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર કોઈ કારણોસર કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને સામેના ભાગમાં રોડ ઉપર આવી રહેલા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી આ જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જે પૈકીના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયાં હતા અને જે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતુ આમ કુલ મળીને આ અકસ્માતના બનાવમાં ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાની માહિતી જાણવા મળી રહે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કિરણભાઈ મનુભાઈ સુરેલા (૧૮), ઉમેશભાઈ જગદીશભાઈ (૧૫), કરસનભાઈ ભરતભાઈ (૨૩) અને  કાનજીભાઈ ભુપતભાઈ (૧૮) નામના ચાર યુવાનોના મોત નીપજયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે અને આ અકસ્માતના બનાવમાં કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા, અમિતભાઈ જગદીશભાઈ ઉકેડીયા અને એક અજાણ્યો વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News