મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ


SHARE











માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખડૂતની હત્યા કરવામાં આવી છે જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક ખેડૂતની ખિસ્સામાંથી રોકડ રૂપિયા, દાગીના તેમજ તેના બાઇકની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે અને ઘટના બની ત્યારથી વાડીના મજૂરો ગુમ હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે પહેલા વાડીએ કામ કરતાં મજૂરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ખેડૂત યુવાન પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ની તીક્ષ્ણ હથિયારના ઘ મારીને હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવની તેના ભાઈ મણિલાલ જાદવજીભાઈ કલારિયા દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે, ગુરુવારની રાતે ખેતરે યુવાનની હત્યા કરી આવી હતી અને ખેતરમાં કામ કરતાં મજૂરો વાડીએ ન હોવાથી તેના ઉપર શંકા છે અને મૃતક ખેડૂત યુવાનના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦૦, અંદાજે પાંચ તોલાનો સોનાનો ચેન અને તેનું બાઇક સ્થળ ઉપર નથી જેથી તેની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે 






Latest News