મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પોલીસ તપાસમાં પહોંચી તે પહેલા બંને દવાખાનામાંથી છનન.!!


SHARE







મોરબીની અવની ચોકડી પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પોલીસ તપાસમાં પહોંચી તે પહેલા બંને દવાખાનામાંથી છનન.!!

મોરબીના રવાપર ગામ પાસે આવેલ અવની ચોકડી પાસે રહેતા દંપતિ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેથી બંનેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી યાદી આવતા પોલીસ તપાસ માટે ગઈ હતી જોકે પોલીસ તપાસ માટે પહોંચી તે પહેલા જ બંને સારવાર લઈને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે..! હાલ કયા મુદ્દે મારામારી થઈ હતી તે સામે આવ્યું નથી.

આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની અવની ચોકડી પાસે રહેતા રેખાબેન ઘનશ્યામભાઈ ભોરણીયા (ઉમર ૪૦) નામની મહિલાને તેઓના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની વાતને લઈને તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા અને તેના બાદ તેઓના પતિ ઘનશ્યામભાઈ ભવાનભાઈ ભોરણીયા (ઉમર ૪૦) ને રૂદ્રેશભાઈ મેરજા નામના વ્યક્તિએ માર માર્યો હોવાની વાતને લઈને તેઓ પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને આ બંને બાબતોની યાદી હોસ્પિટલ તરફથી આપવામાં આવતા પોલીસ તપાસ માટે હોસ્પિટલે ગઈ હતી જોકે પોલીસ પૂછપરછ કરવા માટે પહોંચી તે પૂર્વે જ બંને હોસ્પિટલમાંથી કોઈની રજા લીધા વિના ચાલ્યા ગયા હોવાનું હાલ સામે આવ્યું છે અને કયા કારણોસર આ મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સામે આવ્યો નથી.

લૂંટના ઇરાદે વધુ એક હુમલો..?!

મોરબીના લાલપર ગામથી માટેલ રોડ દરમિયાનમાં અનેક જગ્યાઓએ અને ખાસ કરીને મોરબીના રફાળેશ્વર ગામ પાસે તથા પાનેલી રોડ નજીક એકલદોકલ વ્યક્તિઓને આંતરીને તેઓને માર મારીને લૂંટી લેવાના બનાવો અગાઉ પણ બન્યા છે અને અનેક બનાવોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના જાંબુડીયા ગામે દશામાઁના મંદિરની પાસે રહીને મજૂરી કામ કરતો કાંતિકુમાર બેજનાથજી નામનો ૧૯ વર્ષનો યુવાન મોરબીના પાનેલી રોડ ઉપર આવેલા સીમોલા સીરામીક નજીકથી જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ તેના ઉપર પથ્થરમારો કર્યો હતો.જેમા કાંતીકુમારને કાન અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જોકે દેકારો કરાતા સામે વાળાઓ નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે અને ઇજાગ્રસ્ત સારવારમાં ખસેડ્યો હતો.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા હુમલાખોરો કોણ હતા અને શા માટે પત્થરમારો કર્યો હતો તે બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કેનાલ નજીક આવેલ કમોરાની વાડી વિસ્તારમાં રહેતા ભારતીબેન કાનજીભાઈ ડાભી નામની ૨૬ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓ પોતાના પતિની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેણીને ઇજા થવાથી સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News