મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યના આંગણે બીજી ડિસેમ્બરે સ્નેહમિલનનું આયોજન


SHARE







મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યના આંગણે બીજી ડિસેમ્બરે સ્નેહમિલનનું આયોજન

મોરબીમાં સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ ખાતે રહેતા ધારાસભ્યના નિવાસ સ્થાને આગામી તારીખ બીજી ડિસેમ્બરે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા  દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે

મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દર વર્ષે પોતાના નિવાસ સ્થાને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી શહેર અને તાલુકા તેમજ માળીયા શહેર અને તાલુકા ભાજપ પરિવાર માટે આગામી તારીખ બીજી ડિસેમ્બરના રોજ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારના રોજ સાંજે ચાર કલાકે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે આ સ્નેહમિલન યોજવાનું છે જેમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, જયંતિભાઈ કવાડીયા, ડો. હિતેશભાઇ ચોધારી, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠાભાઇ પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડા સહિતના હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા,મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મહામંત્રી બચુભા રાણા અને બચુભાઈ ગરચર, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા, મહામંત્રી મનિષભાઈ કાંજીયા અને અરજણભાઈ હુંબલ, માળીયા શહેર ભાજપના પ્રમુખ અલ્યાસભાઈ મોવર, મહામંત્રી હનીફભાઈ જેડા અને અવેશભાઈ મોવર સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News