વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચોક પાસે રાજકોટના યુવાનનું મોત


SHARE











મોરબીના શક્તિ ચોક પાસે રાજકોટના યુવાનનું મોત

મોરબીના શક્તિ ચોક પાસે રહેતા અને રખડતું ભટકતુ જીવન વ્યતિત કરતા રાજકોટના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.જેથી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શક્તિ ચોક પાસે રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા અબ્દુલ મામદભાઈ કૈડા જાતે સંધિ (ઉંમર ૪૫) મૂળ રહે.રાજકોટ વાળાનું કોઈ કારણોસર મોરબીના શક્તિ ચોક નજીક મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં રાજકોટમાં રહેતા આરીફ ઓસમાણભાઈ કૈડા જાતે સંધિ (ઉમર ૨૭) દ્વારા આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરવામાં આવી હતી અને તેમના જણાવ્યા પ્રમાણે મૃતક અબ્દુલભાઈ કૈડા રખડતું ભટકતું જીવન જીવતા હતા અને તેઓનું શક્તિચોક નજીક કોઈ કારણસર મોત થયેલ છે હાલ મોતના કારણ સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના કોઇલી ગામે રહેતા ગીતાબેન જીતેશભાઈ વાઘેલા નામની મહિલાને વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ગીતાબેન તેઓના પતિ સાથે બાઈકમાં બેસીને મોરબીથી પરત કોઈલી ગામ જતા હતા ત્યારે રસ્તામાં અચાનક બાઈકની આડે કૂતરું ઉતરતા જોરદાર બ્રેક મારવાથી બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેઓને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા આ બાબતે તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા જયોત્સનાબેન નરેન્દ્રભાઈ દેસાઈ નામની ૧૮ વર્ષની મહિલાને અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાથી જયોત્સનાબેન દેસાઈને ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં જુસબ કાસમભાઈ ભટ્ટી (ઉમર ૧૯) રહે.રોહીદાસપરા વીસીપરા વાળાને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News