મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું


SHARE











મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું 

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિર પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના પિતાએ કારખાને કામે જવાની ના પાડી હતી જે બાબતે તેને મનમાં લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર એલ-૮૪૬ ની અંદર રહેતા આકાશભાઈ મનસુખભાઈ રામાનુજ જાતે બાવાજી (૨૩) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવ અંગે મૃતક યુવાનના પિતા મનસુખભાઈ હરજીવનભાઈ રામાનુજ (૪૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આકાશને કારખાને કામે જતો હોય તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા તેને મનોમન લાગી આવ્યું હતું અને જેથી કરીને તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી શહેરમાં આવેલ ખાટકીવાસના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે દોઢસો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને પ્રવીણભાઈ મેરાભાઈ ધંધુકિયા જાતે કોળી (૫૫) રહે રણછોડનગર શેરી નં-૧ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News