મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું


SHARE







મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું 

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિર પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના પિતાએ કારખાને કામે જવાની ના પાડી હતી જે બાબતે તેને મનમાં લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર એલ-૮૪૬ ની અંદર રહેતા આકાશભાઈ મનસુખભાઈ રામાનુજ જાતે બાવાજી (૨૩) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવ અંગે મૃતક યુવાનના પિતા મનસુખભાઈ હરજીવનભાઈ રામાનુજ (૪૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આકાશને કારખાને કામે જતો હોય તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા તેને મનોમન લાગી આવ્યું હતું અને જેથી કરીને તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી શહેરમાં આવેલ ખાટકીવાસના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે દોઢસો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને પ્રવીણભાઈ મેરાભાઈ ધંધુકિયા જાતે કોળી (૫૫) રહે રણછોડનગર શેરી નં-૧ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News