રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામ સામે ફરિયાદ


SHARE











વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે મારામારી પણ થઈ હતી જે મારામારીમાં ઈજા પામેલ યુવાન સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે સામ સામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (૧૮) એ હાલમાં મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જયંતીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પીન્ટુભાઇ મંગાભાઈ સોલંકી, મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી,, પારસભાઈ જયંતીભાઈ સોલંકી અને તુષારભાઈ જયંતીભાઈ સોલંકી રહે બધા આંબેડકર નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આંબેડકર નગરમાં ફરિયાદીના ઘર પાસે ચોકમાં આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદી તથા સાહેદને ઠપકો આપી બોલોચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારે મુકેશભાઈ સોલંકીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને મોઢા તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ બાકીના આરોપીઓએ વારાફરતી ફરિયાદી તથા સાહેદ માનવ વિપુલભાઈ રાઠોડને હાથે પગે ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામા પક્ષેથી મણીબેન મંગાભાઈ સોલંકી (૭૫) રહે આંબેડકરનગર વાળાએ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ, જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ટીપુ કાળુભાઈ રાઠોડ, કૌશિક ધીરુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકર નગરવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના ઘર પાછળ ચોકમાં આરોપી જીવણભાઈ રાઠોડ ફટાકડા તેના મિત્ર સાથે ફોડતા હોય જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડેલ હતી જે બાબતે બોલાચાલી કરી ઝઘડો કરીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે વારાફરતી આવીને ફરિયાદીને ગાળો આપીને જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમને ઠાર મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News