વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











ટંકારાના મિતાણા નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ મીતાણા ઓરબ્રીજથી મોરબી તરફ આવતા રસ્તા ઉપર પેટ્રોલ પંપ નજીક બાઇકને અજાણ્યા વાહન ચાલાકે હજફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મૂળ પડધરી તાલુકાના નારણકા (બાધી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સિટી મોલની પાછળના ભાગમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે નીલકંઠ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ રાજેશભાઈ કાંજિયા જાતે પટેલે અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા રમેશભાઈ પોપટભાઈ કાંજિયા પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇએફ ૩૭૯૫ લઈને નારણકા બાધી ગામ થી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે મીતાણા ઓવર બ્રિજ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા તેનું મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News