ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબી નજીકના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા તા. ૧૮ થી ૨૪ સુધી ચાલશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર. ઓઝા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલુ રહેશે અને કથા ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે ગામના લોકો સહિતના લોકોને કથાનો લાભ લેવા માટે આયોજક ગંભીરસિંહ ભુરૂભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે

મેલડી મંડળનું આયોજન

મોરબીના જીકીયારી ગામે તા ૧૪ ને મંગળવારે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને જીકીયારી ગામે જ રહેતા નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. જેથી કરીને આ ધાર્મિક કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News