મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબી નજીકના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા તા. ૧૮ થી ૨૪ સુધી ચાલશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર. ઓઝા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલુ રહેશે અને કથા ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે ગામના લોકો સહિતના લોકોને કથાનો લાભ લેવા માટે આયોજક ગંભીરસિંહ ભુરૂભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે

મેલડી મંડળનું આયોજન

મોરબીના જીકીયારી ગામે તા ૧૪ ને મંગળવારે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને જીકીયારી ગામે જ રહેતા નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. જેથી કરીને આ ધાર્મિક કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News