વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન


SHARE











મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન

ગઇકાલે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા હળવદના ચરાડવામાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે માતાજીના દર્શન તેમજ ત્યાના સંતના આશીર્વાદ લઈને આગળ વધી હતી ત્યાર બાદ નીચી માંડલ ગામે તેનું સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતની ટીમે સ્વાગત કર્યું હતું અને બાદમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ જાનકીબેન કૈલા અને જીજ્ઞેશભાઈ કૈલાની ટીમે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને બ્રિજેશ મેરજાને ઘોડે બેસાડયા હતા બાદમાં તેઓનું દિવ્યાંગોએ અભિવાદન કર્યું હતું અને આ યાત્રા બેલા થઈને જેતપર પહોચી હતી ત્યાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યથી અણિયારી ચોકડી, મોટાભેલા, ચમનપર, વવાણીયામાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને તેની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ બ્રિજેશ મેરજાએ શ્રીમદ રાજચંદ્ર મંદિર અને રામબાઈ માતાજીના દર્શન કર્યા હતા.






Latest News