મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે મહારેલી- શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે અને બાદમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો છે જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા છે આવી જ રીતે આ વર્ષે પણ શાસ્ત્ર પૂજન  અને રેલી યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આ મહારેલી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજપૂત કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનો, હોદેદારો સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા  






Latest News