મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે સીરામીક યુનિટમાં ગરમ કોલસામાં પડતી દીકરીઓને બચાવવા જતા દાજી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીના જાંબુડીયા ગામ પાસે સીરામીક યુનિટમાં ગરમ કોલસામાં પડતી દીકરીઓને બચાવવા જતા દાજી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે સિરામિક યુનિટની અંદર માતા-પુત્રીઓ દાજી જવાનો બનાવ બન્યો હતો જેમાં ગરમ કોલસામાં પડી રહેલ દીકરીને બચાવવા જતા સમયે માતા દાજી જતા તેણીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામીક યુનીટમાં ભુલથી ગરમ કોલસામાં જઇ રહેલ દીકરીઓને બચાવવા જતા સમયે કંચનબેન જીતેશભાઈ કુંઢીયા (ઉમર ૩૦) રહે.મકનસર તા.જી.મોરબી તેમજ તેમની દીકરીઓ રોશની જીતેશભાઈ (૧૦) અને નેન્સી જીતેશભાઈ (૭) ત્રણેય દાજી જતા સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશિપ વિસ્તારમાં રહેતા રમાબેન ઓધવજીભાઈ ઝાલરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રમાબેન ઝાલરીયા ઘરેથી બાઈકના પાછળના ભાગે બેસીને સીટી વિસ્તારમાંથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં આવેલ જુના બસ સ્ટેશન નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું.જેથી તેઓ નીચે પડી જતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સુરેન્દ્રનગરના રહેવાસી પુષ્પાબેન મનુભાઈ ચાવડા નામની ૪૨ વર્ષીય મહિલાને ઇજાઓ થતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા પૂજાબેન વાલજીભાઈ ચાવડા નામની ૩૨ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા છે તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.વધુમાં એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂજાબેનને પતિ સાથે કોઇ બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતના મનદુ:ખમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિકપણે જાણવા મળેલ છે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News