મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE











મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા તા. ૮ થી ૧૪ સુધી ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

મોરબીના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં અવાયું છે જે કથા કાલે તા ૮ થી શરૂ થશે બપોરના ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી પોથી યાત્રા યોજાશે અને આ કથા દરરોજ બપોરના ૩ થી ૭ સુધી ચાલશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઇ રાચ્છ, હસુભાઈ પુજારા, સંદીપભાઈ ખગ્રામ, ચંદ્રિકાબેન પલાણ, પ્રફુલ્લભાઈ પોપટ, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પુજારા, કે.પી.ભાગીયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, મોરભાઈ કંઝારીયા, વાલજીભાઈ ડાભી, સહીતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News