મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો
મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો
SHARE








મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો
મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કોડના ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા વર્ષ ૨૦૨૦માં આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયો હતો જેમાં કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (૨૨) રહે. આમેટ(અસન) તાલુકો બીકાવાસ જીલ્લો રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં હતો અને કાચા કામના આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા.૧૭/૫/૨૦૨૧ થી તા.૧૭/૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હતો જો કે, તા.૧૮/૮/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર ન થતાં આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતે હોવાની હક્કિત આધારે પોલીસે તેને પકડીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે

