મોરબી જિલ્લામાં હથિયાર બંધી અને ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ: જાહેરનામું પ્રસિધ્ધ
મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો
SHARE








મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો
સ્વચ્છ મોરબી, સ્વચ્છ ભારત અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિ ઉજવણીથી ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણનું જતન કરવાનો ગુણ વિકસે, સમાજમાં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ અભિયાનમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સુપરવાઈઝર મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગના મુખ્ય શિક્ષક કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા અને પ્રતિક્ષાબેન મહેતાએ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

