સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના માટેલ વીરપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ વીરપર રોડ ઉપર આવેલ અરમાનો સિરામિક વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કપ્તાનભાઈ આદિવાસી (૨૫) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાનને પેરાલીસીસની બીમારી હોય તેનાથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ શેરી નંબર ૩ માં રહેતા અકબરભાઈ ચાનિયા (૫૮) નામના વૃદ્ધ રવાપર રોડ ઉપર આવેલ નાગરિક બેંક સામેથી સાઇકલમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સાયકલ ઉપરથી પડી જવાના કારણે તેઓને ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયાએ કરી હતી
 
વૃધ્ધા સારવારમાં
મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડમાં સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા ગૌરીબેન જયંતીલાલ ઠાકર (૭૦) નામના વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવવામાં ઇજા પામ્યા હતા જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી





Latest News