મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હોય તે પોતાના જીવનથી કંટાળી ગયો હતો જેથી કરીને તેણે પોતાના ઘરની અંદર લાકડાની આડસમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યાર બાદ તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૨ માં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર જાતે દેવીપુજક (૪૫)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક તેનો દીકરો રમણભાઈ અશોકભાઈ (૨૦) તેઓને લઈને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હતી અને જીવન દવા ઉપર જીવતા હોય જેથી તેઓ પોતાના જીવનથી કંટાળી ગયા હતા અને પોતાના ઘરની અંદર છતના ભાગે પતરાને નીચે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા હંસાબેન ખીમજીભાઈ ચૌહાણ (૬૪) નામના વૃદ્ધા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News