મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કો જાનો પશ્નમંચ (મૌખિક સ્પર્ધા) મોરબીની નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે જેમાં પ્રાથમિક વિભાગમાં માધાપર વાડી કન્યા શાળા પ્રથમ સ્થાને, દ્વિતીય સ્થાને કિષ્ના સ્કૂલ અને નિલકંઠ વિદ્યાલય તૃતીય સ્થાને રહી હતી તેવી રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ, દ્વિતીય સ્થાને નાની વાવડી હાઈસ્કૂલ અને તૃતીય સ્થાને નિલકંઠ વિદ્યાલય રહી હતી

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પી.ડી. કાંજીયા તથા નિલકંઠ વિદ્યાલયના જીતુભાઈ વડસોલા તથા સંઘમાંથી રાજેશભાઈ બદ્રકિયા હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચીવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, પ્રશ્ચિમ ક્ષેત્રના  સેવા વિભાગના સહસચિવ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, પ્રાંત ગુરુ વંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસંયોજક દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરિયાણી, સહસંયોજક કાનગડ રાવતભાઈ ઉપસ્થિત હતા, કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ છૈયાએ કર્યું હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પી.ડી. કાંજીયાએ આપ્યો હતો, અને જગ્યાની વ્યવસ્થા જીતુભાઈ વડસોલાએ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સભ્યો વિનુભાઈ મકવાણા, મનહરભાઈ કુંડારિયા,હરદેવભાઈ ડાંગર, રાકેશભાઈ મેરજા, વિપુલભાઈ અમૃતિયા તથા કૌશિકભાઈ અઘારા વગેરેએ ખૂબ મહેનત કરી હતી.






Latest News