મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે પુ.મોરારીબાપુની કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાશે, તડામાર તૈયારીઓને આખરીઓપ : સાંસદ મોહન કુંડારીયા


SHARE











મોરબીમાં શનિવારે પુ.મોરારીબાપુની કથા નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાશે, તડામાર તૈયારીઓને આખરીઓપ : સાંસદ મોહન કુંડારીયા

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજવાની છે જેની હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ રામકથાના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા છે.

આજથી ૧૧ મહિના પહેલા મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા ત્યારે તેની શ્રધ્ધાંજલિ સભા મોરબીમાં કબીર આશ્રમ ખાતે યોજાઇ હતી જેમાં કથાકાર મોરારી બાપુ પણ આવ્યા હતા ત્યારે તેઓ ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગંતો મોક્ષાર્થે એક વર્ષમાં મોરબીમાં કથા આપવાની જાહેરાત કરી હતી જે કથાના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા છે અને આગામી તા.૩૦-૯ ના રોજ તેમના મોરબીના રવાપર રોડે આવેલા નિવાસ સ્થાનેથી સાંજે ૪ વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકળશે.પોથીયાત્રામાં ૨૧ થી વધુ ઘોડાઓ, અલગ અલગ પાલખીઓ, પોથી માટેની બગીઓ, બાળકો વેશભૂષા સાથે, ગામો ગામથી ધૂન મંડળો સજાવેલા ટ્રેક્ટરો સાથે અંદાજે ૫ હજારથી વધુ લોકો જોડાશે.આ કથા શરૂ થવાને બે દિવસ જ બાકી છે ત્યારે હાલમાં તડામાર તૈયારીઑ કરવામાં આવી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ કથા દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી ચાલશે.કથામાં વરસાદ આવે તો પણ લાખો લોકો બેસીને કથા સાંભળી શકે તેના માટે જર્મનનો વોટરપ્રુફ ડોમ રાખવામા આવેલ છે આ કથા દરમિયાન દરેક પ્રકારની વ્યવસ્થા માટે અંદાજે ૧૫૦ થી વધુ ગામના ૯ હજારથી વધુ સ્વંય સેવકોની ટીમ ખડેપગે રહેશે.અને ૧૫૦૦ થી વધુ ગાડીઓ અને ૪ હજારથી વધુ મોટરસાયકલ પાર્ક થઈ શકે તેવી પાંચ જગ્યાએ પાર્કિગ વ્યવસ્થા કરાઈ છે. અને દરરોજ કથા બાદ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીમાં નામાંકિત કલાકારોની સંતવાણી, લોકસાહિત્ય સહિતના કાર્યક્રમો યોજાશે તેમ રાજકોટના સાંસદ અને રામ કથાના મુખ્ય યજમાન  મોહનભાઇ કુંડારીયા, કબીર આશ્રમ-મોરબીના મહંત  શિવરામદાસ બાપુ તેમજ  રામકથા સમિતિના સભ્ય  અરવિંદભાઈ વાંસદડિયાએ માહિતી આપતા જણાવેલ છે અને લોકોને આ કથાનો લાભ લેવા પણ યાદીમાં જણાવેલ છે.






Latest News