હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

મોરબીમાં રવાપર ગામે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન  કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૩ થી આ કથા શરૂ થશે અને તા ૨૯ ના રોજ તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

મોરબીના રવાપર ગામે સ્વ. બેચરભાઈ નારણભાઈ ચાડમીયા એવમ્ સર્વે પિતૃઓના મોક્ષાર્થે ચાડમીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપરથી પ્રખરવકતા મહામંડલેશ્વર ઘ્યાનયોગી પ.પૂ. અવધકિશોરદાસ રામાયણી લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે અને કથા દરમિયાન તા. ૨૩ ના રોજ સવારે ૮ વાગ્યે નરસંગ ટેકરી મંદિરથી ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા નીકળશે ત્યાર બાદ કથા શરૂ થશે તા. ૨૪ રોજ વરાહ ભગવાન અને કપિલ ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૫ ના રોજ નૃસિંહ ભગવાન અને બાવન ભગવાનની પ્રાગટયની કથા, તા. ૨૬ ના રોજ ભગવાન શ્રીરામની પ્રાગટય કથા અને સાંજે ૬ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા.૨૭ ના રોજ ગોવર્ધન પૂજન અને મહારાસની કથા, તા. ૨૮ ના રોજ રૂકિમણીના વિવાહ, તા. ૨૯ ના સુદામા ચરિત્ર સંભળાવવામાં આવશે અને દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કથાનો લાભ લેવા માટે ચાડમીયા પરિવાર દ્વારા નગરજનોને આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News