મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ


SHARE











મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ

ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોય ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક આગેવાન અને ભાજપના આગ્રણી મહેશભાઈ સિંધવ અને તેની ટીમ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અજયભાઇ કોટક, માવજીભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, ભાનુબેન નગવાડીયા, સીમાબેન સોલંકી, નરેન્દ્રભાઇ પોપટ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યાં સોમનાથ મહાદેવની આરતી કરીને નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરી હતી.






Latest News