મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક સગીર સહિત બેનાં મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ઉંચી માંડલ નજીક સગીર સહિત બેનાં મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જવાના રસ્તે રસ્તો ઓળંગી રહેલા ત્રણ યુવાનોને ટ્રક ચાલકે હડફેટે લેતા એક સગીર સહિત બે વ્યક્તિને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા સુનિલ લાખાભાઈ પ્રસાદીયા (૧૯), નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) અને કરણ ભરતભાઈ લાંબરીયા (૧૫) બાઇક લઈને જતાં હતા ત્યારે બાઈકમાં પંચર પડતા પંચર રીપેર કરાવી ત્રણેય રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક જીજે ૧૨ એયુ ૮૪૨૭ ના ચાલકે તેને હડફેટે લીધા હતા ત્યારે સુનિલ લાખાભાઈ પ્રસાદીયા (૧૯) અને નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) નું મોત નીપજ્યું હતું. જો કે, કરણ ભરતભાઈ લાંબરીયાને ઈજા થઈ હોવાથી તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ દ્વારા આરોપી ધનસિંગ હિમાસિંગ ડામોર જાતે આદિવાસી (૩૭) રહે. મૂળ કલિદેવી જાંબુઆ એમપી હાલ રહે. સિમોરા સિરામિક નજીક વાળાની ધરપકડ કરેલ છે

માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે રહેતા સુજીતભાઈ કિશોરભાઈ ચાંઉ (૨૩) નામના યુવાનને કારખાના નજીક હતો ત્યારે ત્યાં અજાણ્યા ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભુપતભાઈ મહીકા (૨૩) નામના યુવાનને હકુભાની વાડીએ હતો ત્યારે ધોકા વડે માર મારવામાં આવતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ભાવેશભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News