ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 


SHARE











માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 

મોરબી જિલ્લાના નવલખી હાઇવે ઉપર મોટા દહીંસરા ગામ પાસેના રેલ્વે ફાટક નજીકથી ટ્રક ચાલકે પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણિયા ગામે રહેતા જાવેદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી જાતે વાઘેર (૨૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૫ બીડબલ્યુ ૨૪૯૩ ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવલખી હાઇવે રોડ ઉપર આવેલ મોટા દહીસરા પાસેના રેલવે ફાટક નજીકથી તેનો ભાઈ જાફર ઈસ્માઈલભાઈ ભટ્ટી (૩૫) પગપાળા ચાલીને રેલ્વે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રક ચાલકે હડફેટે લેતા જાફરભાઈને સાથળ, ગુપ્તાંગ અને પગના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે તાત્કાલિક પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. મૃતક જાફરભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી છૂટક મજૂરી કામ કરતા હતા અને તે મજૂરી કામ કરી પરત ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ઉપરોકત ગોજારો બનાવ બન્યો હતો જેના પગલે તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.






Latest News