ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી


SHARE











મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણી ન આવતું હોવાથી ત્યાની મહિલાઓ દ્વારા પાલિકામાં મોરચો માંડવામાં આવ્યો હતો અને પાલિકા કચેરી બે કલાક સુધી મહિલો દ્વારા માથે લેવામાં આવી હતી ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે નવી પાઇપ લાઇન ફિટ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હત


મોરબીની સુદર્શન સોસાયટી, હરિઓમ સોસાયટી, વિજયનગર, ત્રિકોણનગર સહિતની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી અને સ્થાનિક લોકોએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી તો પણ પાણી ન આવતા આ વિસ્તારની મહિલાપાલિકા કચેરીએ આવી હતી અને પાલિકામાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી મહિલાઓ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકા માથે લીધી હતી જો કે, બાદમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ત્યાં આવ્યા હતા અને મહિલાઓની રજૂઆતને સાંભળીને જણાવ્યુ હતું કે, તેઓની સોસાયટીઓમાં અગાઉ પાણી પુરવઠા  દ્વારા પાણી આપવામાં આવતું હતું જો કે, પાણી પુરવઠા વિભાગે પાલિકા કે લોકોને જાણ કર્યા વગર પાણી બંધ કરી દીધું છે માટે પાણીના ધાંધિયા છે જો કે, ટુક સમયમાં ત્યાં નવી પાણીની લાઈન પાલિકા દ્વારા ફિટ કરવામાં આવશે પછી પાણીની સમસ્યા રહેશે નહીં તેવી અધિકારીએ ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી 






Latest News