મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે નીકળેલા વૃદ્ધનો મૃતદેહ ધરમપુર નજીક નદીમાંથી મળ્યો, અરેરાટી


SHARE











માળીયા(મિં.)ના વાધરવા ગામેથી દવા લેવા માટે નીકળેલા વૃદ્ધનો મૃતદેહ ધરમપુર નજીક નદીમાંથી મળ્યો, અરેરાટી

મોરબી જિલ્લાના માળીયા (મિં.) તાલુકાના વાધરવા (અર્જુનનગર) ખાતે રહેતા આહીર વૃદ્ધ દવા લેવા માટે મોરબી આવ્યા હતા અને બાદમાં ગુમ થઈ ગયા હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.દરમિયાનમાં ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ મોરબીના ધરમપુર ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાંથી મળી આવ્યો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા(મિં.) તાલુકામાં આવેલા વાધરવા ગામે અર્જુનનગર વિસ્તારમાં રહેતા સવાભાઈ ટપુભાઈ બાલાસરા જાતે આહિર (ઉમર ૭૦) ગત તા.૨૩-૭ ના રોજ ઘરેથી મોરબી હોસ્પિટલે દવા લેવા માટે જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘરે આવ્યા ન હતા. જેથી મોરબી તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં આજે મોરબીના ધરમપુર ગામ પાસે વાડી ધરાવતા નરભેરામભાઇ ભગવાનજીભાઈ જીંજુવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાહેરાત કરી હતી કે તેઓની વાડીના પાછળના ભાગે મચ્છુ નદીમાં પુરુષની લાશ પડેલ છે.જેથી મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા ત્યાં પહોંચ્યા હતા. દરમિયાનમાં મૃતકના સગા ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરા જાતે આહિર (ઉમર ૫૦) રહે.અર્જુનનગર વાળા તથા તેઓના અન્ય સગા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ ઓળખી બતાવ્યું હતું કે, આ મૃતદેહ તેઓના કાકા અને મોરબીના માળીયા તાલુકાના અર્જુનનગર ગામેથી દવા લેવા જવાનું કહીને ગુમ થયેલા સવાભાઈ ટપુભાઈ બાલાસરા જાતે આહિર (ઉમર ૭૦) રહે.અર્જુનનગર નો છે.વધુમાં તેઓને માનસિક બીમારી હોય અને દવા લેવા જાવ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં તેઓનો મૃતદેહ મોરબીના ધરમપુર ગામ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાંથી મળી આવ્યો છે.હાલ આ બાબતે નોંધ કરીને ફિરોઝભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મનસુખભાઈ જુગાભાઈ ખીમાણીયા નામના ૨૬ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં આવેલ ફૂલગલીમાં રહેતા રંજનબેન હરિલાલ રાણા નામના ૪૮ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા તેઓને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.






Latest News