મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન: ૩૮.૨૪ લાખની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો


SHARE











મોરબીના જેતપર પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન: ૩૮.૨૪ લાખની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી રેતી ચોરી કરવામાં આવી છે અને કુલ મળીને ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને રેતી ચોરી તેમજ દંડની રકમ અને મશીનરી સહિત ફૂલ મળીને ૩૮.૨૪ લાખ રૂપિયાની ખનીજ ચોરીની હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસ્તારમાં જિલ્લા સેવા સદન ખાતે આવેલ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયા (૨૯)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ પોપટભાઈ પાનસુરીયા રહે અમરગઢ જિલ્લો રાજકોટ વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી આરોપીએ સાદી રેતી ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન બિનઅધિકૃત રીતે ઉપાડી લીધેલ છે જેથી કરીને પ્રતિ ટનના ૨૪૦ રૂપિયા લેખે ૨૭,૧૨,૦૬૮ તેમજ બે લાખ રૂપિયાની કિંમતનું મશીન અને પર્યાવરણને નુકસાનીની વળતર માટે તેને સાદી રેતીના પ્રતિ ટનના ૨૪૦ રૂપિયાના ૪૧ ટકા લેખે ૧૧,૧૧,૯૪૮ રૂપિયા આમ કુલ મળીને ૩૮,૨૪,૦૧૬ રૂપિયાની કિંમતની ખનીજ ચોરી કરેલી છે તે પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧), ૪(૧)(એ), ૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર- ૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News