મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોપેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ ટીડાભાઇ ગણેશિયા જાતે કોળી (ઉમર ૭૫) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સીએનજી પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ટ્રક નંબર આરજે ૬ જીસી ૦૯૭૨ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લક્ષ્મણભાઈ ગણેશિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ગણેશિયા જાતે કોળી (૫૦) રહે.શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીનાબેન ઈસ્માઈલભાઈ કોંઢીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલી મારામારીના બનાવમાં ઇજા થતા મનોજભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉમર ૬૪) રહે.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News