મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત


SHARE











મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ પૂજરીઓના જામીન માટે સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને જામીન મુકત કરવા માટે હુકમ કરેલ છે

મોરબી શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવ સેવા મંડળના ટ્રસ્ટીઓ દ્રારા મંદિરની જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અધિનિયમ કલમ ૩,૪ (૨) (૩) ૫(સી) અન્વયે આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી તથા રાજુગીરી ગોવિંદગીરી સામે જડેશ્વર મંદિર ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવા અંગેની ફરીયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરીયાદ આધારે બંન્ને આરોપીઓ સામે ચાર્જશીટે દાખલ થયેલ હતું અને ચાર્જશીટના આધારે બંન્ને આરોપીઓ વતિ એડવોકેટ રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર દ્રારા સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ બંન્ને આરોપીના જામીન માટે અરજી કરેલ હતી અને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પણ ટાકેલ હતાં અને તેઓએ કરેલી દલીલોને ધ્યાને લઈને સ્પે. લેન્ડ ગ્રેબિંગ કોર્ટ દ્રારા બંન્ને આરોપીઓ જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો આ કામે બંને આરોપીઓના વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.






Latest News