મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જસાપર ગામ પાસે પાણીના વહેણમાં કચરો નાખવા બાબતે યુવાનને કુહાડી અને પાઇપ પાઇપ માર માર્યો: ચાર સામે ફરિયાદ


SHARE











માળીયા (મી)ના જસાપર ગામ પાસે પાણીના વહેણમાં કચરો નાખવા બાબતે યુવાનને કુહાડી અને પાઇપ પાઇપ માર માર્યો: ચાર સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના હોટલની સામેથી પાણીનું વહેણ પસાર થાય છે તે પાણીના વહેણમાં ક્રિષ્ના હોટલ વાળાએ કચરો નાખ્યો હોવાથી તે ઉપાડી લેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આધેડ ઉપર કુહાડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા અને ક્રિષ્ના હોટલ ધરાવતા માવજીભાઈ સુખાભાઈ ચાવડા જાતે આહિર (૫૩) એ હાલમાં કાનાભાઈ આલાભાઇ બાલાસરા અને પરબતભાઈ ખીમાભાઈ ચાવડા રહે. બંને મોટી બરાર અને બે અજાણ્યા શખ્સો આમ ફૂલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જસાપર ગામની સીમમાં આવેલ તેઓની ક્રિષ્ના હોટલ ની સામેથી પાણીનું વહેણ પસાર થાય છે જ્યાં કચરો નાખવામાં આવ્યો હતો જે ઉપાડી લેવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે આરોપી કાનાભાઇએ તેના હાથમાં રહેલ કુહાડી વડે ઇજા કરી હતી તેમજ પરબતભાઈએ તેના હાથમાં રહેલ પાઇપ વડે માર માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી આમ ચારેય શખ્સોએ માર મારતા ઈજા પામેલા આધેડને સારવારમાં લઇનેે આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેઓએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News