મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીમાં એસિડ પીને મહિલાએ આપઘાત કરી લેતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મિતુલભાઈ બારોટના પત્ની પૂજાબેન બારોટ (૩૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર એસિડ પીને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારી હતી અને તેણે કોઈપણ કારણોસર પોતાની જાત એસિડ પી લઈને આપઘાત કરી દીધેલ છે હાલમાં આપઘાતના આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News