મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ
SHARE








મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ
મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતું છે જો કે અહીના લોકો તો ઉબડ ખાબડ રસ્તાથી ટેવાઇ ગયા છે પરંતુ બહારથી અહી માલ લેવા માટે આવતા લોકો અહીના ભંગાર રસ્તા જોઈને ત્રાહિમામાં પોકારી જાય છે અને અનેક વખત બહારથી આવેલા આગેવાનોએ અહીના રોડ રસ્ત તેમજ તંત્ર વાહકોની જાહેરમાં ટીકાઓ કરતાં હોય છે તો પણ ભંગાર રસ્તાને રીપેર કરવામાં આવતા નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના લીલાપર બાજુથી રફાળેશ્વર બાજુ જવું હોય તો રસ્તામાં જે પુલા આવે છે તેના છેડાનું કામ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયો છે જેથી કરીને સવાર અને સાંજના સમયે ઉધોગપતિ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો આ રસ્ત ઉપરથી નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક જામ સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા તાત્કાલિક આ રોડ રીપેર કરવાની માંગ કરી છે

