હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત


SHARE











સાળંગપુર ધામેથી દિલ્હી જતી સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેરઠેર સ્વાગત

સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની ૧૧ ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ મોરબીની જનતાએ લીધો હતો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તા. ૩/૫ ને બુધવારે સવારે મોરબી આવી હતી ત્યારે રથનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી જેમાં હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓ સહિતના લોકો જોડાયા હતા આ યાત્રા મહારાણા પ્રતાપ સર્કલરીલીફનગરઉમા ટાઉનશીપનટરાજ ફાટકમયુરપુલ ઉપર થઇને દરબારગઢગ્રીનચોકનગરદરવાજા ચોકશાક માર્કેટજેઈલ રોડવાઘપરા મેઈન રોડસીતારામ ચોકરવાપર રોડનરસંગ ટેકરીરવાપર ચોકડીઅવની ચોકડીઉમિયા સર્કલશનાળા રોડ ઉપર થઇને ઉમિયા આશ્રમ ખાતે પુરી કરવામાં આવી હતી






Latest News