મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના જેતપર રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને પોતાના વાહન લઇને પોતાના જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને રંગપર વિરાટનગરના બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડા પડ્યા હોય તેમાંથી રીક્ષા, બાઈક, કાર સહિતના વાહનો લઈને રોડ ઉપરથી નીકળવું જોખમી બની ગયું છે જેથી કરીને આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેના માટે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા ભાંગી તૂટી ગયેલા રોડને રીપેર કરવા માટે નક્કર કામગીરી કરવામાં આવી છે જેથી આ રોડ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડામાં રહેતા લોકોને પોતાના જીવના જોખમે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થવું પડે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેની સાથોસાથ આ વિસ્તારની અંદર લગભગ દોઢસો જેટલા નાના-મોટા સિરામિકના અને અન્ય કારખાનાઓ કાર્યરત કરવામાં આવેલ છે જેથી ત્યાં રોજગારી મેળવવા માટે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા જતા હોય છે ત્યારે આ રસ્તા ઉપરના ખાડા તેઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે વહેલામાં વહેલી તકે રોડ ઉપરના ખાડાને બુરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અત્યાર સુધીમાં અનેક વખત મોરબીના જેતપર રોડ ઉપર જીવલેણ અકસ્માતો આ ભંગાર રસ્તાના કારણે સર્જાઈ ચૂકયા છે ત્યારે આગામી દિવસોમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું રીપેરીંગ કામ વહેલી તકે થાય તેવું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે






Latest News