મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના જેતપર રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને પોતાના વાહન લઇને પોતાના જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને રંગપર વિરાટનગરના બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડા પડ્યા હોય તેમાંથી રીક્ષા, બાઈક, કાર સહિતના વાહનો લઈને રોડ ઉપરથી નીકળવું જોખમી બની ગયું છે જેથી કરીને આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેના માટે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા ભાંગી તૂટી ગયેલા રોડને રીપેર કરવા માટે નક્કર કામગીરી કરવામાં આવી છે જેથી આ રોડ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડામાં રહેતા લોકોને પોતાના જીવના જોખમે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થવું પડે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેની સાથોસાથ આ વિસ્તારની અંદર લગભગ દોઢસો જેટલા નાના-મોટા સિરામિકના અને અન્ય કારખાનાઓ કાર્યરત કરવામાં આવેલ છે જેથી ત્યાં રોજગારી મેળવવા માટે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા જતા હોય છે ત્યારે આ રસ્તા ઉપરના ખાડા તેઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે વહેલામાં વહેલી તકે રોડ ઉપરના ખાડાને બુરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અત્યાર સુધીમાં અનેક વખત મોરબીના જેતપર રોડ ઉપર જીવલેણ અકસ્માતો આ ભંગાર રસ્તાના કારણે સર્જાઈ ચૂકયા છે ત્યારે આગામી દિવસોમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું રીપેરીંગ કામ વહેલી તકે થાય તેવું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે






Latest News