મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે યુવાનને આવાસ માટે મળેલા પ્લોટ ઉપર દબાણ કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ,


SHARE











મોરબીના ઉંચી માંડલ ગામે યુવાનને આવાસ માટે મળેલા પ્લોટ ઉપર દબાણ કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા યુવાનને આવાસના બાંધકામ માટે ઘરથાળમાં મળેલ પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભાવેશભાઈ કાળુભાઈ ચાવડા (૩૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉકાભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઈ રામજીભાઈ બોડાણા રહે. બંને ઊંચી માંડલ વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઊંચી માંડલ ગામ તળમાં આવાસ બનાવવા માટે તેને ઘર થાળમાં પ્લોટ નંબર ૨૫ સો ચોરસ વારનો પ્લોટ મળેલ છે જે પ્લોટ ઉપર આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે થઈને ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા રાજનાથસિંહ ચુનીલાલ (૫૫) નામના આધેડ રાત્રીના સમયે બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં અજાણ્યા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજનાથસિંહને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News