મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

હળવદના નવા ઇસનપુર ગામે ખેતી કામ માટે પત્નીએ વહેલી સવારે જગાડતા થયેલ બોલાચાલી બાદ યુવાનને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE











હળવદના નવા ઇસનપુર ગામે ખેતી કામ માટે પત્નીએ વહેલી સવારે જગાડતા થયેલ બોલાચાલી બાદ યુવાનને અંતિમ પગલુ ભરી લેતા મોત

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે ખેતીમાં મજૂરી કામ કરતા યુવાનને તેની પત્નીએ વહેલી સવારે ખેતરમાં કામ કરવા માટે ઉઠાવ્યો હતો અને ત્યારે તે બાબતે બંને પતિ પત્ની વચ્ચે બોલાચેલી થઈ હતી જે બાબતે લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જાદવજીભાઈ કરસનભાઈ પરમાર જાતે દલવાડીની વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા જુવાનસિંહ નરસિયાભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૦) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટેની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે વહેલી સવારે ખેતરમાં કામ કરવા માટે થઈને મૃતક યુવાનને તેની પત્નીએ પરણે જગાડ્યો હતો જેથી કરીને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મૃતક યુવાનને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં હળવદ તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News