મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો


SHARE











મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો

મોરબી તાલુકામાં ગત ડિસેમ્બર માહિનામાં હત્યાનો બનવા બનેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીની જમીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે તેમના દીકરા મનોજને આરોપીઓ કોન્ટ્રાકટર કરણસીંહના મોટરસાઈકલમાં તા.૧૪/૧૨/૨૦ ના સાંજના છ થી સવા છએક વાગ્યે લઈને ગયેલ હતા ત્યારપછી કોઈપણ સમયે બોથડ પદાર્થ કે હથીયાર વડે આંતરીક ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યૂ હતું અને આરોપીઓએ પોતાના પહેરેલ કપડા સળગાવી દઈ પુરાવાનો નાશ કરી નાખેલ છે જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરેલ હતી. અને આરોપી રાયસિંહ ઉર્ફે રાજુ અમરસિંહ વસુનીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આ કામમાં આરોપીએ કહેવાતો ગુનો આચરેલ નથી. તેઓ આ ગુના વીશે કશુ જાણતા નથી અને આરોપીને આ ગુનામાં સાંકડી શકે તેવો લેશ માત્ર પુરાવો નથી. તેમ છતા આરોપીને સદર ગુનાના કામે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. ત્યારે આરોપીને જામીન પર ન છોડવામાં આવે તો પ્રીટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે માટે કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું ચુસ્ત પણે પાલન કરશુ વીગેરે દલીલ કરેલ હતી અને જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રે૨ક ઓઝા, જીતેન ડી. અગેચાણીયાજે.ડી.સોલંકીસુનીલ માલકીયામોનીકાબેન ગોલતરકીશોર સુરેલા રોકાયેલા હતા.






Latest News