મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાન, ભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાનભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ

મોરબી નવજીવન વિદ્યાલયમાં રાષ્ટ્રીય શાયર લોક સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી અને માળિયા તાલુકા કક્ષાની શૉયગાનભજન લોકગીત સ્પર્ધા યોજાઇ ગઇ હતી. જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, જિલ્લા  શિક્ષણાધિકારી કચેરી મોરબીના એસ.જે. મેરજા, શ્રીમદ રાજચંદ્ર શાળા વિષય સંકુલ મોરબીના સંયોજક એસ.એ. જાવીયા અને શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં મોરબી તાલુકામાં પ્રથમ ક્રમે ગૌસ્વામી અવની પ્રકાશભાઈ (નવયુગ વિદ્યાલય)  દ્વિતીય ક્રમે વ્યાસ ધર્મીલ પરેશભાઈ (સાર્થક વિદ્યાલય) અને તૃતીય ક્રમે જોષી વૃષ્ટિ હિરેનભાઈ (નવજીવન વિદ્યાલય) વિજેતા બનેલા છે અને આ સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News