મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

 વાંકાનેરના પાડધારા નજીક ડમ્પર  અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત


SHARE











 વાંકાનેરના પાડધારા નજીક ડમ્પર  અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે મંદિરે દર્શન કરીને માટેલ પરત જતાં સમયે પાડધરા નજીક ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઇકો ગાડીમાં બેઠેલા લોકોમાંથી કારના ચાલક સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને કારમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ ગામે રહેતા સિંધાભાઇ મોમભાઇ ટોટા અને તેના ભાઈ સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા, આણંદપર ગામના ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયા, જેતપરડા ગામના ભુવા જાલાભાઈ કડવાભાઇ સરૈયા અને જાલાભાઈ ટીડાભાઇ સરૈયા વાંકાનેર તાલુકાનાં જાલસીકા ખાતે ડાડાની ડેરીએ દર્શન કરવા માટે ઇકો ગાડી નંબર જીજે ૩ ઇસી ૮૭૯૫ લઈને ગયા હતા ત્યાંથી પરત આવતા હતા ત્યારે સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા ચલાવી રહ્યા હતા ત્યારે જેતપરડા ગામે જાલાભાઈને કારમાંથી ઉતારીને તેઓ માટેલ ગામ તરફ જતાં હતા ત્યારે પાડધરા ગામના પાટીયા પહેલા વળાંક લેતા સમયે સામેથી આવી રહેલ ડમ્પરમાં ગાડી અથડાઇ હતી જેથી કરીને ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇકો કાર ચલાવતા સતિષભાઈ ઉર્ફે નારણભાઇ મોમભાઇ ટોટા અને ભુવા છનાભાઈ લક્ષ્મણભાઇ કેરવાડીયાનું મોત નીપજ્યું હતું જો કે, સિંધાભાઇને ઇજા થયેલ હતી જેથી તેને સરત્વર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે 






Latest News