મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા દૂધ લેવા જતા આધેડનું મોત


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા દૂધ લેવા જતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વહેલી સવારે દૂધનો ધંધો કરતા આધેડ લક્ષ્મીનગર ગામે દૂધ લેવા માટે જતા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ પટેલ આધેડનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું હાલ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડીને અકસ્માત કરીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અને દૂધનો ધંધો કરતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણી જાતે પટેલ નામના ૫૦ વર્ષના આધેડ વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘરેથી તેઓ દૂધનો ધંધો કરતા હોય દૂધ લેવા માટે લક્ષ્મીનગર ગામ બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે માળિયા હાઇવે ઉપર આવેલ બસ સ્ટેશન નજીક તેઓના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કિરણભાઈ નરસીભાઈ ભોજાણી નામના ૫૦ વર્ષના પટેલ આધેડનું મોત નુપજયુ હતું.બનાવને પગલે અનસ્ટોપેબલ વોરીયર ગૃપના રાકેશભાઇ બરાસરાએ જાણ કરતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતના સ્ટાફે પહોંચીને મૃતક કિરણભાઇ ભોજાણીના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આગળની કવાયત શરૂ કરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કિરણભાઈ ભોજાણી મોરબીની સેવાકીય પ્રવૃતિ તેમજ બ્લડ ડોનેશન માટે જાણીતી એવી અનસ્ટોપેબલ વોરીયર અને યુવા આર્મી ગૃપના  ગ્રુપના સભ્ય હતા.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના વાવડી ગામ પાસે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા તરલાબેન મૂળજીભાઈ વાળા નામના ૫૨ વર્ષીય આધેડ મહિલા બીમારી સબબ કોઈ ટીકળા ખાઈ જતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.સારવાર બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના કુંભાર દરવાજા રામદેવપીર મંદિર પાસે રહેતા ઘનશ્યામભાઈ પ્રેમજીભાઈ પટેલ નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈ પટેલ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે હળવદના સરા નાકા વિસ્તારમાં તેઓના બાઇકની આડે અચાનક કૂતરું ઉતરતા તેઓના બાઈકનું સંતુલન ન રહેતા તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા અને તે બનાવમાં ઇજાઓ પામતા ઘનશ્યામભાઈને હાલ અત્રે સારવાર માટે લાવવામાં આવેલા છે.






Latest News