મોરબી સાર્થક વિદ્યામંદીરમાં સંસ્કૃત કક્ષનું રવિવારે કરશે ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો


SHARE







ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જેમાં મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦) એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ધાર વાડી તરીકે ઓળખાય છે તે વાડીએ કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ સ્થાનિક લોકોએ ટંકારા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસે અને મામલતદાર ત્યાં આવ્યા હતા અને મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢીને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતી દરમ્યાન મૃતક વ્યક્તિને માથામાં કોઈ ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું હાલમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે અમે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.






Latest News