મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો


SHARE











વાંકાનેરમાં પિતાના ઘરે આવેલા યુવાનને બે સગા ભાઇ સહિત ચાર ભાઈઓએ ધોકા વડે માર માર્યો

વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં રહેતો યુવાન તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના બે સગા ભાઇ સહિત ચાર વ્યક્તિઓએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં તેના બે સગા ભાઇ સહિત ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપાર વિસ્તારમાં પૂજારા કારખાના પાસે રહેતા અજયભાઈ જગદીશભાઈ સુરેલા જાતે કોળી (૨૩)એ હાલમાં મનીષભાઈ જગદીશભાઈ સુરેલા, સાગરભાઇ જગદીશભાઈ સુરેલા, રાહુલભાઈ રમેશભાઈ સુરેલા અને રજનીભાઈ રમેશભાઈ સુરેલા રહે બધા વીસીપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના પિતાથી અલગ વીસીપરા વિસ્તારમાં રહે છે અને તે તેના પિતાના ઘરે ગયો હતો ત્યારે તેના પિતાએ તેને પોતાના ઘરે જતા રહેવા માટે થઈને કહ્યું હતું દરમ્યાન તેના બે ભાઈ મનીષ અને સાગર ત્યાં આવી ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા જેથી કરીને ફરિયાદી યુવાને ગાળો દેવાની ના પાડતા તેમાં બે ભાઈને સારું નથી લાગતા તે બંને શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેને બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા તેના ભાઈજીના દીકરા રાહુલભાઈ અને રજનીભાઈ પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે પણ યુવાનને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ભોગ બનેલ યુવાનને તેના માતા-પિતાએ છોડાવ્યો હતો અને ત્યારે આરોપીઓએ એવું કહ્યું હતું કે, “આજે તને જવા દઈએ છીએ પણ હવે પછી અહીં આવ્યો તો જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ પોતાના બે સગાભાઈ સહિત ચાર ભાઇઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News