મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે કારખાનાની દીવાલ માથે પડતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં દિવાલ માથા ઉપર પડવાથી મજુર યુવાન નીચે દટાઈ ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આવેલી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટિક ફાર્મ નામનું કારખાનું આવેલ છે જ્યાં મજૂરીકામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી વાવ ગામના રહેવાસી નરવતભાઈ સોમાભાઈ બારીયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) ના માથા ઉપર દીવાલ પડી હતી જેથી કરીને તેઓેને દિવાલ નીચે દટાઈ જવાથી માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News