મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં પત્નીને બીભત્સ ઇશારા કરનારા યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમા રહેતા યુવાને પાડોશમાં રહેતા પરિવારની મહિલા સાથે બીભત્સ ચેડાં કર્યા હતા જેથી કરીને તેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવાનના ગાળા ઉપર છરી થી ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના સંબંધીની ફરિયાદ લઈને પોલિસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ હોટલ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂર યુવાન જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (૨૭) મૂળ રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાના હત્યા કરી હતી આ બનાવમાં મૃતક યુવાનના બનેવીના ભાઈ નીરાજભાઈ જવાહરભાઇ પાંડે (૩૫) રહે, મધ્યપપ્રદેશ હાલમાં રહે રેડીયન્ટ સિરામિક વાળાની ફરિયાદ લીધેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની પત્નીને બે દિવસ પહેલા મૃતક યુવાને બીભત્સ ઇશારા કર્યા હતા તેથી આરોપી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તેની હત્યા કરી નાખી છે હાલમાં પોલીસે આરોપી બારીવાલા કુશલભાઈભાઈ ટૂંડું જાતે સંતેલી (ઉમર ૨૩) રહે, રેડીયન્ટ સિરામિક વાળાની ધરપકડ કરેલ છે.

ગાંધીચોક પાસે મારામારી

મોરબીના કાલીકાપ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકી નામનો ૩૭ વર્ષીય યુવાન ગાંધીચોક પાસે હતો.ત્યારે દુબલીયાભાઈ આદિવાસી નામના ઈસમે તેમને અને તેમની સાથે રહેલા અન્ય એક સાહેદને વગર વાંકે ઝઘડો કરી બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી ભુપતભાઈ સોલંકીને સારવાર માટે લઈ જવાયા હતા.ભુપતભાઈ સોલંકીએ દુબલીયાભાઇ આદિવાસી નામના ઇસમ સામે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News