મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

પારકી પીડા: હળવદના નવા દેવળીયામાં ઝઘડો રોકવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











પારકી પીડા: હળવદના નવા દેવળીયામાં ઝઘડો રોકવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે સરકારી દવાખાના પાસે યુવાનની સાથે બે શખ્સો ઝઘડો કરીને તેને મુંઢ માર મારી રહ્યા હતા ત્યારે ગામમાં રહેતો યુવાન ઝઘડો ન કરવા માટે કહેવા ગયો હતો દરમ્યાન ઝઘડો કરનારા શખ્સે તે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પાંસળી, પેટ અને જમણા હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તેમજ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા મંગળસિંહ અનુપસિંહ પરમાર જાતે દરબાર (૩૫) એ હાલમાં પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને તેના ભાઈ પંકજસિંહ દશરથસિંહ પરમાર રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, નવા દેવળીયા ગામે આવેલ સરકારી દવાખાના પાસે ગામમાં રહેતા સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર સાથે આરોપી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર ઝઘડો કરી રહ્યા હતા અને તેને ગાળો આપીને તેને ઢીકા પાટુનો મુઢમાર મારી રહ્યા હતા જેથી ફરિયાદીએ તેને ઝઘડો કરતા રોક્યા હતા અને ઝઘડો ન કરવા માટે કહ્યું હતું ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રદ્યુમનસિંહ પરમારે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને પાંસળી, પેટ અને જમણા હાથમાં ઇજા કરી હતી જેથી જીવ બચાવવા માટે ભાગેલ ફરિયાદીનો આરોપીએ પીછો કરીને આજે તો તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી પણ આપી હતી જો કે, ગામના અન્ય લોકો આવી જતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ સિધ્ધરાજસિંહ અને યુવરાજસિંહ ભોગ બનેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજા પામેલા મંગળસિંહને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે હાલમાં પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News