મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











હળવદ નજીક કંસારી હનુમાન મંદિર પાસે કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

હળવદ નજીક આવેલ કંસારી હનુમાન મંદિર પાસેથી પસાર થતી કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને કેનાલના સાઇફનમાં ફસાઇ જવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું અને મૃતક યુવાનના ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે ગત તારીખ 19/2 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં હળવદ પાસે આવેલ કંસારી હનુમાન મંદિર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની શોધખોળ તરવૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 9:00 વાગ્યાના અરસામાં કંસારી હનુમાન મંદિર પાસે કેનાલના સાઈફોનમાંથી યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ઇલિયાસભાઈ અબ્બાસભાઈ અગરિયા જાતે ઘાંચી રહે. નવનિર્માણ સ્કૂલ પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News