મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી


SHARE







મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી

આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ ઠાવનો છે ત્યારે ઘરે ઘરે અને પાંડલમાં વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવશે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે જરૂરી માટી મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવા માટેનું આયોજન કરવામા આવ્યું છે અને જે લોકોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવી હોય તેને વિના મૂલ્યે માટી આપવામાં આવશે

મોરબીમાં થોડા દિવસો પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગ બનાવવા માટે લાલા માટી મંગાવવામાં આવી હતી આ માટીનો ઉપયોગ ઇકો ફ્રેંડલી ગણેશ બનાવવા માટે થાય તેવા હેતુ સાથે વિના મૂલ્યે માટી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઘરે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવે તે માટે વિનામૂલ્યે માટી નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવામાં આવશે તેવું ત્યાના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કેગણેશ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે 






Latest News