મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ કુકસીતલાવડી ગામનો રહેવાસી અને હાલમાં રાજકોટ તાલુકામાં ભુપતગઢ ગામે જયરાજભાઈ નરશીભાઈ રાઠોડની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સુરેશભાઈ ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી ભીલ (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેનું બાઈક નં જીજે ૩ સીજી ૪૧૮૪ લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર થયું હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની માતા નૂરીબેન ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી (૫૦) રહે. હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામાં મોરબી વાળીની ફરિયાદ લઈ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો કાર નં. જીજે ૩ બીએ ૬૮૩૪ ના ચાલકે તેના એક્ટિવા નં. જીજે ૩૬ એબી ૩૨૩૨ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નવઘણભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને એકટીવામાં નુકસાની થયેલ છે જેથી કરીને હાલમાં તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News