મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ કુકસીતલાવડી ગામનો રહેવાસી અને હાલમાં રાજકોટ તાલુકામાં ભુપતગઢ ગામે જયરાજભાઈ નરશીભાઈ રાઠોડની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સુરેશભાઈ ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી ભીલ (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેનું બાઈક નં જીજે ૩ સીજી ૪૧૮૪ લઈને નીકળ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ચાલક સુરેશભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર થયું હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની માતા નૂરીબેન ચમારભાઇ વાસકેર જાતે આદિવાસી (૫૦) રહે. હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામાં મોરબી વાળીની ફરિયાદ લઈ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો કાર નં. જીજે ૩ બીએ ૬૮૩૪ ના ચાલકે તેના એક્ટિવા નં. જીજે ૩૬ એબી ૩૨૩૨ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નવઘણભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને એકટીવામાં નુકસાની થયેલ છે જેથી કરીને હાલમાં તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News