મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં


SHARE











માળીયા (મી)ના હરીપર પાસે કાર પલટી જતાં કાર ચાલકની પત્ની-જમાઈનું મોત: દીકરી-બે ભાણેજ સહિત ચાર સારવારમાં

માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક દેવ સોલ્ટ પાસે બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ કાર ચાલકના પત્ની અને જમાઈને વધુ ગંભીર ઈજા થઈ હોવા તે બંનેના મોત નિપજ્યાં છે અને કાર ચાલક, તેની દીકરી અને બે ભાણેજને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ભુજ તાલુકાના બળદિયા ગામના રહેવાસી ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરીયા જાતે પટેલ (૬૯) એ હાલમાં બળદિયા ગામના જ રહેવાસી કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાના પત્ની તેજબાઈ સાથે રવજીભાઈની ફોર્ચ્યુન ગાડીમાં રવજીભાઈના પત્ની સાથે તેઓ અમદાવાદના નારણપુર જવા માટે નીકળ્યા હતા અને તેઓની સાથે જ તેમના ગામે રહેતા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા તેમના પત્ની રમાબેન વેકરીયા તેમની દીકરી કનીશાબેન તથા જમાઈ પ્રકાશભાઈ લાખાણી અને બે ભાણેજ સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને તે લોકો સામખયારી પુલથી આગળ માળિયા તરફ આવી રહ્યા હતા દરમિયાન કલ્યાણભાઈની ગાડી આગળ હતી અને ફરિયાદી ગોવિંદભાઈની ફોર્ચ્યુન પાછળના આવી રહી હતી ત્યારે કલ્યાણભાઈની ગાડી આડે બાઇક ચાલક આવતા તેણે બાઈકને બચાવવા જતા પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી તેની ગાડી રોડ સાઈડના ડિવાઇડર સાથે અથડાવી હતી અને ગાડી રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી

જેથી કરીને ગાડીમાં બેઠેલ કલ્યાણભાઈના પત્ની, દીકરી, જમાઈ અને બે ભાણેજને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયાના પત્ની રમાબેન કલ્યાણભાઈ વેકરીયા (૬૦) અને જમાઈ પ્રકાશભાઈ રામજીભાઈ લાખાણી (૩૫) બંનેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું અને કાર ચાલક કલ્યાણભાઈ તથા તેની દીકરી કનિશાબેન અને બે ભાણેજને નાના મોટી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ગોવિંદભાઈ વેકરીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News