મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા


SHARE







મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા

મોરબી જિલ્લા સહિત રાજકોટ રેંજમાં વ્યાજખોરોની સામે પોલીસે લાલા આંખ કરી હતી અને લોકોને ડરાવી ધમકાવીને વધુ રૂપિયા પડાવતા વ્યાજખોરોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવતા અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવતી હતી ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન્મા કુલ મળીને ૨૧ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી સમગ્ર રાજયમાં વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લાલ આંખ કરી છે અને પોલીસના લોક દરબાર પણ યોજાયા રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો આ જીલ્લામાં રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં પોલીસનો લોક દરબાર યોજાયો ત્યાર બાદ જુદાજુદા પોલીસ મથકોમાં વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવેલ છે અને મોરબી જીલ્લામાં પોલીસનો પ્રથમ લોકદરબાર યોજાયો ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ મળીને ૨૧ ફરિયાદ જુદાજુદા પોલીસ મથકોમાં ભોગ બનેલા લોકો દ્વારા કરવામાં આવેલ છે અને હજુ પણ ઘણા લોકો ફરિયાદ કરવા માટે સામે આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસે ૨૧ ગુનામાં કુલ મળીને ૩૯ શખ્સોની ધરપકડ કરેલ છે તેમજ લોકો રૂપિયાની જરૂર હોય ત્યારે વ્યાજખોર પાસે જવાના બદલે અધિકૃત બેન્ક કે પેઢી પાસેથી જ નાણાં મેળવે તેના માટે પોલીસ દ્વારા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ લોન મેળાના પણ આયોજન કરવામાં આવ્યા હતા






Latest News