હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા


SHARE











મોરબી જિલ્લામાં નોંધાયેલ ૨૧ ફરિયાદ સામે ૩૯ વ્યાજખોર ઝડપાયા

મોરબી જિલ્લા સહિત રાજકોટ રેંજમાં વ્યાજખોરોની સામે પોલીસે લાલા આંખ કરી હતી અને લોકોને ડરાવી ધમકાવીને વધુ રૂપિયા પડાવતા વ્યાજખોરોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવતા અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવતી હતી ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન્મા કુલ મળીને ૨૧ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી સમગ્ર રાજયમાં વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લાલ આંખ કરી છે અને પોલીસના લોક દરબાર પણ યોજાયા રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો આ જીલ્લામાં રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં પોલીસનો લોક દરબાર યોજાયો ત્યાર બાદ જુદાજુદા પોલીસ મથકોમાં વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવેલ છે અને મોરબી જીલ્લામાં પોલીસનો પ્રથમ લોકદરબાર યોજાયો ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ મળીને ૨૧ ફરિયાદ જુદાજુદા પોલીસ મથકોમાં ભોગ બનેલા લોકો દ્વારા કરવામાં આવેલ છે અને હજુ પણ ઘણા લોકો ફરિયાદ કરવા માટે સામે આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં પોલીસે ૨૧ ગુનામાં કુલ મળીને ૩૯ શખ્સોની ધરપકડ કરેલ છે તેમજ લોકો રૂપિયાની જરૂર હોય ત્યારે વ્યાજખોર પાસે જવાના બદલે અધિકૃત બેન્ક કે પેઢી પાસેથી જ નાણાં મેળવે તેના માટે પોલીસ દ્વારા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ લોન મેળાના પણ આયોજન કરવામાં આવ્યા હતા






Latest News